ભારતના જુદા જુદા વિસ્તારોમાં ધર્મજાગૃતિ રથનું ભ્રમણ કરવવામાં આવે છે.
સંસ્થા દ્વારા ૨૭ ફૂટ લાંબો અને ૧૫ ફૂટ ઉંચો મંદિર આકારનો વિશાળ ધર્મ જાગૃતિ રથ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ચલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
આ રથમા ઉમિયા માતાજી તેમજ પથદર્શક સંતોની ચિત્ર પ્રતિમા પણ મુકવામાં આવી છે.
સને ૨૦૦૮ મા તૈયાર કરાયેલ આ રથ કચ્છ, સાબરકાંઠા, ગુજરાત તેમજ દક્ષિણ મહારાષ્ટ્ર , ગોવા, મુંબઈ, વિદર્ભ છતીસગઢ અને મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં ભ્રમણ કર્યું છે.
જ્યાં જ્યાં રથ જાય છે ત્યાં અનુયાયીઓ દ્વારા શોભાયાત્રા અને સ્વાગત સમારંભ રાખીને તેને ઉમળકા ભેર આવકાર આપવામાં આવે છે અને સંતોની ધર્મસભાઓ યોજાય છે.